કાયદાકીય દ્રષ્ટીએ જંગલના પ્રકાર શું છે?
કાયદાકીય દ્રષ્ટીએ જંગલને ત્રણ પ્રકારે વર્ગીકૃત કરાયાં છે.
- આરક્ષિત જંગલ
- સંરક્ષિત જંગલ
- બિન-વર્ગીકૃત જંગલ
આરક્ષિત જંગલ એટલે શું?
આરક્ષિજ જંગલ એ એક એવો જંગલ વિસ્તાર છે, જેને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ (IFA) ની કલમ-4થી કલમ- 19 અંતર્ગત અધિકારો મુદ્દે સમાધાનની જરૂરી નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ-1927 (IFA)ની કલમ-20 અઁતર્ગત આરક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર. તમામ કાયદાકીય વર્ગીકૃત
જંગલોમાં આ પ્રકારનો જંગલ વિસ્તાર સૌથી વધુ સંરક્ષિત જંગલ વિસ્તાર છે.
સંરક્ષિત જંગલ એટલે શું?
સંરક્ષિત જંગલ એટલે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ-1927 (IFA)ની કલમ-29 અઁતર્ગત જાહેર કરાયેલો એવો વિસ્તાર જેમાં IFA હેઠળ અધિકારોના સમાધાનની પ્રક્રિયા બાકી હોય. આ જંગલ વિસ્તાર તમામ કાયદાકીય વર્ગીકૃત જંગલોમાં દ્વીતીય ક્રમનો સંરક્ષિત જંગલ વિસ્તાર છે.
બિન-વર્ગીકૃત જંગલ એટલે શું?
બિન-વર્ગીકૃત જંગલ એટલે એવો જંગલ વિસ્તાર કે જેની જંગલ તરીકે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ-1927 (IFA) હેઠળ રચના કરવાનો હેતુ રાજ્ય સરકારે જાહેર કર્યો હોય અને IFA અંતર્ગત અધઇકારો સંબંધીત પ્રક્રિયા બાકી હોય. આ તમામ કાયદાકીય વર્ગીકૃત જંગલોમાં આ પ્રકારનો જંગલ વિસ્તાર સૌથી
ઓછો સંરક્ષિત જંગલ વિસ્તાર છે.
જંગલોના પ્રકારો એ શું છે?
રાજ્યમાં કૃષિ-આબોહવા આધારિત ઝોન વિવિધ પ્રકારના જંગલો (આશ્રયસ્થાનો-વસાહતો)માં વિકસેલી જીવસૃષ્ટિની વૈવિધ્યતા દર્શાવે છે.
ચેમ્પિયન અને શેઠ ક્લાસીફીકેશન સીસ્ટમ પ્રમાણે 16 પૈકી મોટાભાગના જંગલોના પ્રકાર ભારતમાં જોવા મળે છે, ચાર મુખ્ય પ્રકારના જંગલો ગુજરાતમાં જોવા મળે છે.
ગુજરાતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે?
ગુજરાતમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વન્ય જીવસૃષ્ટી જોવા મળે છે.
- પ્રકાર 3B ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો
- પ્રકાર 4B દરિયાકાંઠા અને ભેજવાળી પોચી જમીનનાં જંગલો
- પ્રકાર 5A ઉષ્ણકટિબંધીય સુકા પાનખર જંગલો
- પ્રકાર 6B ઉત્તરીય ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો
જંગલોને કેવી રીતે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરાયાં છે?
જંગલોને વિવિધ પ્રકાર અને પેટા-પ્રકારો વનસ્પતિસૃષ્ટીની વિસ્તૃત લાક્ષણિકતાઓના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. .
રાજ્યમાં મુખ્યત્વે કેટલા પેટા-પ્રકારના જંગલો મળી આવે છે?
રાજ્યના જંગલોને મુખ્યત્વે 11 શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છેઃ
- ભેજવાળા પાનખર જંગલો
- થોડાક ભેજવાળા સાગના જંગલો
- સુકા સાગના જંગલો
- અતિ સુકા સાગના જંગલો
- અતિ સુકા પાનખર જંગલો
- અતિ ખરાઉ ઝાડી-ઝાંખરા ધરાવતા જંગલો
- ઉષ્ણકટિબંધીય સુકા પાનખર જંગલો
- સુકા મિશ્ર પાનખર અને ઉષ્ણકટિબંધીય જંગલો
- રણ કાંટાળા ઝાડી-ઝાંખરા ધરાવતા જંગલો
- ઘાસીયા જંગલો
- મેન્ગ્રોવ જંગલો
જંગલ વિસ્તાર (આવરણ) શું છે?
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI) એ વન આવરણની ચકાસણી હાથ ધરે છે અને બે વર્ષના અંતરાલ બાદ તેમાં ફેરફાર કરે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાતી આકારણીમાં તમામ જમીનો કે જેમાં વૃક્ષોના આવરણની ગીચતા 10 ટકા અને તેનાધી વધુ હોય અને જમીન વિસ્તાર ઓછોમાં ઓછો 1 હેકટર
હોય તેવી જમીનોનો સમાવેશ કરવામાં આવે છે.FSIના વન આવરણમાં માલિકીપણાં, જમીનનો ઉપયોગ અને કાયદાકીય સ્થિતિ પ્રમાણે તમામ પ્રકારની જમીનો સમાવેશ કરાય છે.
વન આવરણની આકારણી કેવી રીતે કરાય છે?
FSI દ્વારા LISS-IIIના સેટેલાઇટ આધારિત રીમોટ સેન્સીંગ ડાટાના ઉપયોગ વડે વન આવરણની આકારણી કરે છે.
જેમાં ઓછામાં ઓછી 1 હેકટર જમીન અને દસ ટકા ગીચતા ધરાવતા વૃક્ષોના આવરણનો સમાવેશ કરાય છે.
જંગલ વિસ્તારમાં આવેલા પરિવર્તનના મુખ્ય કારણો કયાં છે?
જંગલ વિસ્તારોમાં પરિવર્તન આવવા પાછળના મુખ્ય કારણોમાં બિન-જંગલ હેતુમાં જંગલની જમીનને પરિવર્તિત કરવી (નકારાત્મક પરિવર્તન) અને નવા વિસ્તારને જંગલ વિસ્તારમાં પરિવર્તિત કરવો (હકારાત્મક પરિવર્તન)નો સમાવેશ થાય છે.
રાજ્યમાં તાજેતરના વર્ષોમાં જંગલ વિસ્તારમાં આવેલું મુખ્ય પરિવર્તન કયા છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં હકારાત્મક પરિવર્તનો આવ્યા છે. વર્ષ 1985થી 2013 દરમિયાન રાજ્યના વન વિસ્તારમામં પરિવર્તન આવ્યું છે. વન વિસ્તાર 1985માં 19318.30 ચોરસ કિમી (9.86%) હતો તે 2013માં વધીને 21664.99 ચોરસ કિમી (11.05%) થયો છે.
વર્કીંગ પ્લાન (કાર્ય પ્રણાલિ યોજના) શું છે?
જંગલનું વ્યવસ્થાપન-સંચાલન વર્કીંગ પ્લાન (કાર્ય પ્રણાલિ યોજના) મુજબ ચાલે છે. વર્કીંગ પ્લાન એક એવો દસ્તાવેજ છે જેમાં વન વિસ્તારના યુનિટોના વ્યવસ્થાપન-સંચાલનની વિગતો-માહિતીઓ હોય છે. વર્કીંગ પ્લાન વર્કીંગ પ્લાન કોડ મુજબ તૈયાર કરાય છે અને તેને ભારત સરકાર દ્વારા
મંજૂર કરવામાં આવે છે.
કેમ વર્કીંગ પ્લાન જરૂરી છે?
વર્કીંગ પ્લાન સાતત્યપૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબે સંચાલન-વ્યવસ્થાપન કરવા માટે જરૂરી છે.
મેન્ગ્રોવસ શું છે?
મેન્ગ્રોવસ એ વૃક્ષો અને છોડના જૂથ છે અને તે ઉષ્ણકટિબંધીય દરિયાઇ આંતરભરતી વિસ્તારમાં જોવા મળે છે.
મેન્ગ્રોવના જંગલો ગુજરાતમાં ક્યાં આવેલાં છે?
મેન્ગ્રોવના જંગલો રાજ્યના 15 જિલ્લાઓ ઉષ્ણકટિબંધીય આંતરભરતી વિસ્તારમાં આવેલાં છે. આ જંગલોમાં મેન્ગ્રોવની 15 પ્રજાતિઓ તેમજ 100થી વધુ મેન્ગ્રોવની સહોયીગ વનસ્પતિઓ આવેલી છે.
મેન્ગ્રોવસ (ચેર)નું મહત્વ શું છે?
દરિયાકિનારાના વિસ્તારોમાં વસતા સમુદાયો માટે મેન્ગ્રોવસ (ચેર)ના વૃક્ષો બિન-ઇમારતી વન પેદાશો જેવી કે ઘાસ, બળતણના લાકડાં, મધ, ગુંદર વિગેરેના મહત્વના સ્ત્રોતો છે. માટે જ આ જીવસૃષ્ટીનું સંરક્ષણ અને રક્ષણ રાજ્યના સાતત્યપૂર્ણ વૃદ્ધિ તેમજ વિકાસ માટે અત્યંત મહત્વનું
છે.તે ભરતી-ઓટ તેમજ ભારે સમુદ્રી તોફાનો તથા જોશીલા જળપ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતાં અટકાવે છે. મેન્ગ્રોવસ કુદરતી આફતો જેવી કે દરિયાઇ તોફાન અને સુનામી વખતે પણ તેની અસર સામે રક્ષણ પરું પાડે છે. સમુદ્રી કિનારાના વિસ્તારો અને આંતર ભરતી દરિયાઇ વિસ્તારોમાં
મેન્ગ્રોવસ સૌથી મહત્વના કાર્બન સિન્કસ (કાર્બન શોષક) પૈકીના એક છે અને આંતર ભરતી દરિયાઇ વિસ્તારોમાં મેન્ગ્રોવસ (ચેર) જ સૌથી મોટો ઉત્પાદક છે. આમ, સમુદ્રી કિનારાના આર્થિક-સામાજિક સુરક્ષા માટે મેન્ગ્રોવસનો વિકાસ અને મેન્ગ્રોવસ (ચેર)થી આચ્છાદીત હરિયાળું આવરણ ખૂબ
જ મહત્વનું છે.
ગુજરાતમાં મેન્ગ્રોવસ (ચેર)ની સ્થિતિ કેવીક છે?
ગુજરાત જ એવું એકમાત્ર રાજ્ય છે જેમાં મેન્ગ્રોવસ આવરણમાં 45 ચોરસ કિમીનો વધારો થયો છે. (FSI, 2013) છેલ્લા એક દાયકામાં. દેશભરમાં કુલ મેન્ગ્રોવસ 4628 ચોરસ કિમી પૈકી પશ્ચિમ બંગાળ બાદ 1103 ચોરસ કિમીના મેન્ગ્રોવસ આવરણ સાથે ગુજરાત બીજા ક્રમે છે. રાજ્યના કચ્છ, જામનગર,
રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મેન્ગ્રોવસ જોવા મળે છે.
ગુજરાતમાં છેલ્લા દાયકામાં મેન્ગ્રોવસ આવરણમાં શું પરિવર્તન જોવા મળ્યાં છે?
છેલ્લા દાયકામાં મેન્ગ્રોવસ આવરણમાં આવેલા પરિવર્તન આ પ્રમાણે છેઃ
વર્ષ |
મેન્ગ્રોવ આવરણ (ચોરસ કિ.મી.) |
2001 |
911 |
2003 |
916 |
2005 |
991 |
2009 |
1046 |
2011 |
1058 |
2013 |
1103 |
કુદરતી આપત્તિ સામે રક્ષણ મેળવવામાં મેન્ગ્રોવસની શી ભૂમિકા છે?
મેન્ગ્રોવસ (ચેર) ભારે સમુદ્રી તોફાનો તથા જોશીલા જળપ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતાં અટકાવે છે. મેન્ગ્રોવસ કુદરતી આફતો જેવી કે દરિયાઇ તોફાન અને સુનામી વખતે પણ તેની અસર સામે રક્ષણ પરું પાડનાર સંરક્ષણ કવચની ગરજ સારે છે.
દરિયા કિનારે વસતા સમુદાયોના જીવનધોરણ માટે મેન્ગ્રોવસની ભૂમિકા શી છે?
દરિયાકિનારાના વિસ્તારોમાં વસતા સમુદાયો માટે મેન્ગ્રોવસ (ચેર)ના વૃક્ષો બિન-ઇમારતી વન પેદાશો જેવી કે ઘાસ, બળતણના લાકડાં, મધ, ગુંદર વિગેરેના મહત્વના સ્ત્રોતો છે. અને તેથી જ રાજ્યના સાતત્યપૂર્ણ વૃદ્ધિ તેમજ વિકાસ માટે આ જીવસૃષ્ટીનું સંરક્ષણ અને રક્ષણ અત્યંત મહત્વનું
છે.
ગુજરાતમાં કયા પ્રકારની મેન્ગ્રોવસ પ્રજાતિ જોવા મળે છે?
ગુજરાતમાં જોવા મળતી મેન્ગ્રોવ પ્રજાતિ આ પ્રમાણે છે
એવિસેનીયા મરીના |
સેરીઓપ્સ ટેગલ |
એવિસેનીયા ઓફિસીનાલીસ |
એક્સકોઇસારીઆ આગ્લાલોચા |
એવિસેનીયા અલ્બા |
કેન્ડેલીઆ કેન્ડલ |
અકેન્ટુસ ઇલીસીફોલીઅસ |
લુમ્નીટઝેરા રેસમોસા |
એજીસેરસ કોર્નીકુલેટમ |
ર્હીઝોમ્ફોરા મુક્રોનાટા |
બ્રુગેરા સીલીન્ડ્રીકા |
સોનરેસીયા અપટાલા |
બ્રુગેરા જીમ્નોર્રહીઝા |
|
ઘાસ વીડી એ શું છે?
સૌરાષ્ટ્ર,કચ્છ અનેમધ્ય ગુજરાતના વિસ્તારોની ઘાસની જમીનનું વ્યવસ્થાપન-સંચાલન ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને સ્થાનિક ભાષામાં ઘાસના ઉત્પાદનને "વીડી”ના નામે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં ઘાસની મુખ્ય કઇ પ્રજાતિઓ જોવા મળે છે?
ગુજરાતમાં મુખ્ય બે પ્રકારની ઘાસ પ્રજાતિઓ જોવા મળે છે.
રાજ્યમાં ઘાસની વીડીઓ થકી ઘાસનું વાર્ષિક ઉત્પાદન કેટલું થાય છે?
હાલમાં રાજ્યની વીડીઓ થકી ઘાસનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન અંદાજે 100 લાખ કિલો છે.
રાજ્યમાં ઘાસના ગોડાઉનની સંગ્રહ ક્ષમતા કેટલી છે?
હાલમાં ગુજરાતમાં ઘાસના ગોડાઉનની ઘાસ સંગ્રહ કરવાની ક્ષમતા અંદાજે 400 લાખ કિલો છે
ઘાસનો સંગ્રહ કરવો શા માટે જરૂરી છે?
ગુજરાતમાં અવારનવાર દુષ્કાળ અને અછતની સ્થિતિ સર્જાતી હોય છે. રાજ્યમાં પશુપાલન-પશુસંવર્ધન આજીવિકાનું મુખ્ય સાધન છે ત્યારે ઘણા સમુદાયોનું જીવનધોરણ પશુપાલન ઉપર જ નભતું હોય છે. રાજ્યમાં પશુપાલન મહત્વનું હોવાથી રાજ્યમાં તીવ્ર અછતની સ્થિતિ સર્જાય તો પશુધનને બચાવવા
અત્યંત જરૂરી હોવાથી ઘાસનો સંગ્રહ કરવો આવશ્યક છે.
ઘાસ વિતરણ કરવાની પદ્ધતિ શી છે?
વન વિભાગ દ્વારા ઘાસની આરક્ષિત જમીનમાંથી એકત્રિત કરાયેલા ઘાસના મોટા જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી અછતની સ્થિતિમાં તેનો રાજ્ય સરકારના કૃષિ વિભાગના આદેશાનુસાર PRY/102004/grass/1/G તા.31/8/2006 અંતર્ગત ઘાસચારા જરૂરિયાત પૂર્ણ કરી શકાય. અછતની સ્થિતિમાં ગુજરાત
સરકારે મંજૂર કરેલા સૌથી નવા દરોના આધારે આ ઘાસનું વિતરણ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ શું છે?
જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ (JFM) એક એવો કાર્યક્રમ છે જેમાં વન વિસ્તારનું વ્યવસ્થાપન-સંચાલન સ્થાનિક સમુદાયોના સહયોગથી વન વિભાગ દ્વારા ‘શેર એન્ડ કેર’ આધારે કરવામાં આવે છે. સ્થાનિક લોકો જંગલના વિકાસ અને સંવર્ધનમાં મદદરૂપ થાય છે જેના બદલામાં તેઓને વાંસ, નાના
ઇમારતી લાકડાં અને ઇમારતી લાકડાની કાપણીમાં ભાગ મળે છે તદ્દઉપરાંત બિન ઇમરતી જંગલ પેદાશો (NTFPs)માં પણ ભાગ મળે છે.
રાજ્યમાં JFMની શરૂઆત ક્યારે કરવામાં આવી?
ગુજરાતમાં જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ (JFM)ની શરૂઆત વર્ષ 1991થી કરવામાં આવી છે.
રાજ્યમાં JFMની વર્તમાન સ્થિતિ શું છે?
JFMમાં વધુને વધુ લોકોને સામેલ કરવાના નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસોના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં JFM હેઠળ કુલ 458303 હેકટરના જંગલો આવરી લેવાયા છે તથા કુલ 3414 જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી (JFMCs)ની નોંધણી થઇ ચૂકી છે.
લાકડાનું ઈ-ઓક્શન એટલે શું?
ઈ-ઓક્શન (ઈ-હરાજી) ઓનલાઇન હરાજીની એક પદ્ધતિ છે જેમાં નોંધાયેલા બીડરો (બોલી બોલનારા વેપારીઓ) વેબસાઇટ ઉપર દર્શાવેલા વિવિધ ડેપોમાં રખાયેલા ટીમ્બર (લાકડા)ના જથ્થા માટે તેમની ઓફર (બોલી) ઇલેકટ્રોનિક માધ્યમથી નોંધાવે છે. ગુજરાત સરકારનું આ એક અનોખું પગલું છે. ઇન્ફોરમેશન
એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) ના ઉપયોગ સમગ્ર હરાજી પ્રક્રિયામાં ક્ષમતા, અસરકારકતા, પારદર્શીતા અને જવાબદેહીતા લાવવા માટે કરવામાં આવે છે.
ઈ-ઓક્શનથી શું ફાયદા થાય છે?
ઇમારતી લાકડાનું ઈ-ઓક્શન તટસ્થ, પારદર્શી અને વધુ અસરકારક હરાજી પદ્ધતિ છે. તેમાં ટીમ્બર ડેપો ઉપર હરાજીકાર કે બીડર્સ (બોલી બોલનાર)ની હાજરીની જરૂરીયાત રહેતી નથી અને કોઇપણ વ્યક્તિ ગમે ત્યાંથી તેમાં ભાગ લઇ શકે છે. તે માનવીય ભૂલોને પણ દુર કરી છે તેમજ પરંપરાગત ખુલ્લી
હરાજીમાં થતી ભાવની ઉથલપાથલની શક્યતાઓને પણ ટાળી દે છે. .
ઈ-ઓક્શનમાં કોઇ વ્યક્તિ કેવી રીતે ભાગ લઇ શકે?
વન વિભાગ વતી ઈ-ઓક્શન (n)કોડ સોલ્યુશન દ્વારા કરાય છે. ઈ-ઓક્શન માટે જરૂરી રજીસ્ટ્રેશન ફી અને ડીપોઝીટ જમા કરાવીને કોઇપણ વ્યક્તિ (n)કોડ સોલ્યુશનમાં પોતાનું નામ નોંધાવી શકે છે. જ્યારે (n)કોડ સોલ્યુશન દ્વારા અધિકૃત કરી દેવાય અને તેના તરફથી ડીજીટલ સિગ્નેચર મળી
જાય ત્યારે જે તે વ્યક્તિ ઈ-ઓક્શનમાં ભાગ લઇ શકે છે.
વાસ્તવમાં સામાજિક વનીકરણ શું છે?
સામાજિક વનીકરણ વન વિભાગની પાંખ (વીંગ) છે, જે જંગલ વિસ્તારની બહાર વનીકરણ હાથ ધરે છે અને તેને પ્રોત્સાહિત કરી છે. આ પાંખ વિભાગવાર વૃક્ષારોપણ કરે છે પરંતુ સામાન્ય રીતે લોકો દ્વારા થતાં વનીકરણને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકવામાં આવે છે.
જેનો લોકોને લાભ મળતો હોય એવી મુખ્ય પ્રવૃત્તિઓ/યોજનાઓ કઇ છે?
કઇ પાંખ (વીંગ) અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે અને તે તમામ લોકકેન્દ્રીત છે પરંતુ વ્યક્તિગત લાભ આપતી મુખ્ય યોજનાઓ નીચે મુજબ છેઃ
- વન મહોત્સવ
- ખેત જમીનમાં વૃક્ષારોપણ
- વિકેન્દ્રીત લોકોની નર્સરીઓ
વન મહોત્સવ યોજનાની માહિતી શી છે?
- આ એવી યોજના છે જેના થકી વિભાગ દ્વારા લોકોમાં વિતરણ કરવાના ઉદ્દેશથી મોટી સંખ્યામાં રોપાઓનો ઉછેર કરવામાં આવે છે.
- કેટલાક મર્યાદીત કિસ્સામાં જેવા કે ગ્રામ પંચાયત, શાળાઓ, સરકારી વિભાગો વિગેરેને આ રોપાઓ નિઃશૂલ્ક આપવામાં આવે છે.
- અન્ય લોકો માટે રોપાઓની કિંમત તેના કદ ઉપર આધાર રાખે છેઃ
- 10X 20 સેમીના રોપાદીઠ રૂ. 0.75
- 15X25 સેમીના રોપાદીઠ રૂ. 1.00
- 20X30 સેમીના રોપાદીઠ રૂ. 2.00
- આ યોજના હેઠળ ઉછેરવામાં આવેલા રોપાઓ વિભાગની કોઇપણ નર્સરીમાંથી ઉપલબ્ધ હોય તો કોઇપણ વ્યક્તિ દર્શાવાયેલી કિંમત ચૂકવીને લઇ શકે છે. જેની માટે કોઇની પણ ભલામણ કે પરવાનગી લેવાની રહેતી નથી. રકમની ચૂકવણી જે તે નર્સરી ખાતે જ કરવાની હોય છે
- વધુમાં જો ગ્રામ્યવાસીઓ 15X25સેમી કદના 1200 રોપાઓ અથવા 10X20 સેમી કદના 2500 રોપાઓ ખરીદવાનું નક્કી કરે અને રોપાઓની કિંમત નર્સરીમાં જમા કરાવે તો આ રોપાઓ ગામડા સુધી નિઃશૂલ્ક પહોંચાડવામાં આવે છે.
રોપાઓ મેળવવા માટે કોનો સંપર્ક કરવો?
રોપાઓ પસંદ કરવા માટે તમે કોઇપણ નર્સરીની મુલાકાત લઇ શકો છો અને કિંમત ચૂકવીને જાતે જ રોપાઓ લઇ જઇ શકો છો.
સરકાર રોપાઓ નિઃશૂલ્ક કેમ આપતી નથી?
સરકાર રોપાઓને નિઃશૂલ્ક આપી શકે તેમ છે પરંતુ આમ કરવાથી અસંખ્ય રોપાઓનો વ્યવ થશે તેવી આશંકા છે વળી લોકોને રોપાઓ પરત્વે માલિકીનો ભાવ જાગતો નથી. વધુમાં રોપાઓની કિંમત એટલી નજીવી હોય છે કે તેનાથી કોઇ આર્થિક ભારણ લાગતું નથી. આ રીતે આપણે ખરેખર વૃક્ષારોપણ કરવા માંગતા
વ્યક્તિ અને ફક્ત દેખાડો કરવા માંગતા વ્યકિત વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ. માત્ર કલ્પના કરી જુઓ કે એક કપ ચ્હાની કિંમત રૂ.5 છે જ્યારે ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થનાર રોપાની કિંમત માત્ર રૂ.1 છે. શું ખરેખર તે પ્રતિરોધક છે ખરું?
"ફાર્મ લેન્ડ” વૃક્ષારોપણ યોજના શું છે?
- આ યોજના અંતર્ગત વિભાગ નાના અને સીમાંત ખેડૂતોના ખેતરમાં વૃક્ષારોપણ હાથ ધરે છે. ખેડૂતોની પસંદગી પ્રમાણેની વૃક્ષ પ્રજાતિ વૃક્ષારોપણ માટે ઉગાડવામાં આવે છે. આ રોપાઓની માલિકી ખેડૂતોની રહે છે.
- નર્સરીની પ્રવૃત્તિઓ વધારવી, વૃક્ષારોપણ, નિંદામણની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવે છે. જો અસ્તિત્વ દર 50%થી વધુ હોય તો તેની માટે અલગથી વળતર ચૂકવવામાં આવે છે. .
- આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમણે ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહે છે.
વિકેન્દ્રીત લોકોની નર્સરી શું છે?
- આ યોજનામાં અમે રોપા ઉછેરનો લક્ષ્યાંક કોઇપણ વ્યક્તિને આપીએ છીએ. પ્રત્યેક રોપાના ઉછેરના વળતરરૂપે રોપાદીઠ રૂ.1.15 તેને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. સામાન્ય રીતે લક્ષ્યાંક 20,000 રાખવામાં આવે છે. તેથી જો અરજીકર્તા તમામ 20,000 રોપાઓને ઉછેરવામાં સફળ રહે તો તેને
રૂ.23,000નું વળતર 7થી 8 મહિનામાં મળે છે.
- રોપાની માલિકી લાભાર્થી પાસે રહે છે. તે રોપાઓનું વેચાણ કે તેનો ઉપયોગ અન્ય કોઇની પણ પરવાનગી લીધા વિના કરી શકે છે.
- આ યોજના બધા જ માટે છે પરંતુ જે વ્યક્તિ ઓછામાં ઓછા 12 મહિના માટે જમીન નર્સરી માટે ફાળવે તેને પ્રાથમિકતા આપવામાં આવે છે. બીજા અર્થમાં કહીએ તો એ વ્યક્તિને પ્રાથમિકતા અપાય છે જે નર્સરી પ્રવૃત્તિને એક વ્યાપારીક પ્રવૃત્તિ તરીકે કરવા માંગતો હોય નહીં કે જમીનના
એક ટૂકડા ઉપર માત્ર મોસમી પ્રવૃત્તિ કરવા માગતો હોય.
- કોઇપણ વ્યક્તિ જે આ યોજનાનો લાભ લેવા માગતો હોય તેણે ઓક્ટોબર સુધી અરજી કરવાની હોય છે.
વનીકરણની પ્રવૃત્તિ હાથ ધરવા માટે NGOને ગ્રાન્ટ આપવાની કોઇ યોજના છે ખરી?
હાલમાં એનજીઓને ગ્રાન્ટ આપવાની કોઇ યોજના નથી અથવા તો વનીકરણ પ્રવૃત્તિ માટે અન્ય કોઇને પણ ગ્રાન્ટ અપાતી નથી. સઘળી વૃક્ષારોપણની પ્રવૃત્તિ વિભાગીય રીતે કરાય છે. તેમ છતાં એવા ઘણા માર્ગો છે કે જેના દ્વારા NGO અને અન્ય આવી સંસ્થાઓ યોજનાનો લાભ લઇ શખે છે અને પારસ્પરિક
લાભ ઉઠાવી શકે છે.
- તેઓ પોતાના પ્રોજેક્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને "ફાર્મ લેન્ડ (ખેત જમીન)”ને પ્રોત્સાહિત કરી શકે છે. આ રીતે તે પ્રોત્સાહિત કરીને અને વિભાગને એક અરજી કરી શકે છે. આ રીતે તે રૂપાંતરનો લાભ લઇ શકે છે.
- તેવી જ રીતે પ્રોજેક્ટ વિસ્તારમાં તે કોઇપણ વ્યકિતને શિક્ષણ આપી તેને DCP માટે પ્રોત્સાહિત કરી શકે છે. તે ખરેખર સારી આવક રળી આપતી પ્રવૃત્તિ બની શકે છે.
- NGO અમારી નર્સરીઓમાંથી રોપાઓ કિંમત ચૂકવી લઇ જઇ શકે છે અને તેને ઉઁચી કિંમતે ગ્રામજનોને વહેંચી શકે છે.
- તેમ છતાં તમે રૂબરૂ મળી શકો છો અથવા તો તમારાં સંપર્ક, સરનામાની વિગતો મોકલી શકો છો જેથી જ્યારે આવાં સહયોગની કોઇ શક્યતા હોય તો તમારો સંપર્ક કરી શકાય.
હું એક શાળા/કોલજ જતો વિદ્યાર્થી હોવ તો વૃક્ષારોપણમાં હું કેવી રીતે મારું યોગદાન આપી શકું?
- તમે ગ્લોબલ વોર્મીંગ સહિતની સમસ્યાઓ વિશે ઘણું સાંભળ્યું હશે. કદાય નિબંધ પણ લખ્યો હશે, ચર્ચામાં પણ ભાગ લીધો હશે પણ હવે કઇ નક્કર કરવાનો સમય પાકી ગયો છે.
- તમારા પોતાના હાથે વૃક્ષારોપણ એ પર્યાવરણની મદદ કરવાનો એકમાત્ર માર્ગ નથી. તમે વન વિભાગની ઉપર મુજબની યોજના અંગે તમારી આસપાસ રહેતા લોકોને અવગત કરાવી શકો છો.
- તમે એક નાનકડું જૂથ બનાવીને ગ્રામજનોની મુલાકાત લઇ તેમને આ અંગે શિક્ષિત કરી શકો છો.
તમે આ વેબસાઇટની લીંક તમારા મિત્રોને તો મોકલી જ શકો છો અને તેમને યોજનાઓનો પ્રચાર કરવાની વિનંતી કરી શકો છો. - માટે તમારા પ્રયાસોમાં છૂપાયેલી અમાપ સંભાવનાઓને નજરઅંદાજ ક્યારેય ન કરશો.
મેં તમારી નર્સરીની મુલાકાત લીધી અને તેમાં મોટાભાગના રોપા વિશાળ વૃક્ષો કે જે ધીમે ધીમે વિકસે છે તેના જ હોવાનું જણાયું છે. વન વિભાગ કયા કારણથી ફૂલોના રોપા નથી ઉછેરતું, જેની અન્ય ખાનગી નર્સરીઓમાં ભારે માગ હોય છે?
- પર્યાવરણમાં વિશાળકાય વૃક્ષો અને ફૂલોના છોડની ભૂમિકા અલગ અલગ હોય છે. નાના કદના છોડ કુદરતને સુંદરતા બક્ષે છે તો બીજી તરફ વિશાળકાય વૃક્ષો પર્યાવરણને તેના કરતાં પણ વધુ જરૂરી એવો ઓક્સિજન આપે છે. તમે તો તમારી શાળાના દિવસોમાં વાંચ્યું જ હશે કે પ્રકાશસંશ્લેષણ દ્વારા
છોડ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. જ્યારે તમામ છોડવા પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરે છે પરંતુ વૃક્ષોમાં જ આ પ્રક્રિયામાં કાર્બન તેના થડમાં એકત્રિત થાય છે અને તેથી જ તે તેને લાંબાસમય માટે એકત્રિત કરી રાખે છે."ગ્લોબલ વોર્મીંગ સામે રક્ષણ આપતા વૃક્ષોની મહત્તા”અંગેનો
લેખ આ સાઇટ ઉપર રાખવામાં આવ્યો છે અને આ માહિતી તમે ડાઉનલોડ પણ કરી શકો છો.
- વિભાગ ફૂલોના છોડનો ઉછેર કરે છે પરંતુ બહુ જ થોડી સંખ્યામાં ઉછેરે છે. અમારો મુખ્ય હેતુ તો વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરવાનો છે.
હું એક શિક્ષક છું, આ કિસ્સામાં હું કેવી રીતે મદદરૂપ નીવડી શકું?
તમારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે તમે જ સર્વશ્રેષ્ટ વ્યક્તિ છો. તમે માત્ર તેમનામાં જાગૃતિ જ ન લાવો પરંતુ તેમને ગ્રામજનોમાં આ યોજનાઓનો પ્રચાર કરવા માટે પણ પ્રોત્સાહિત કરો. તમે એવી સ્પર્ધા પણ યોજી શકો કે જેમાં વન મહોત્સવ અંતર્ગત રોપા ઉછેર માટે કોણ સૌથી
વધુ ગ્રામજનોને પ્રોત્સાહિત કરી શકે છે
હું એક સામાન્ય માણસ છું. આવા પ્રયાસોમાં હું કેવી રીતે મદદરૂપ થઇ શકું?
પ્રત્યેક વ્યક્તિ સામાન્ય જ છે, તે પોતાની જાતે એવું માને કે તેમનામાં કઇ કરવાની ભાવના છે તો તેઓ પોતાના પ્રયાસો દ્વારા સહભાગી થઇ શકે છે. કોઇ પાસે પૈસા છે તો કોઇ પાસે જમીન, કોઇ પાસે સામાજિક પ્રતિષ્ઠા છે તો કોઇ પાસે સમય વિગેરે. પોતાની શક્તિનો અંદાજ સ્વયંપોતે
જ લગાવી શકો છો. જે સંદેશ ફેલાવવાનો છે તે ખૂબ જ સરળ છે. એક સમય હતો જ્યારે વૃક્ષો દરેક સંભવીત જગ્યાએ રોપવાના હતા અને વન વિભાગ સામાન્ય લોકોને નજીવી કિંમતે રોપા પુરાં પાડે છે. તો લોકોએ રોપા લેવા જોઇએ અને તેનું વાવેતર કરવું જોઇએ.
જો હું તમારી યોજનાને પ્રોત્સાહિત કરું તો મને તેમાંથી શું મળશે?
- વન વિભાગની યોજનાને પ્રોત્સાહિત કરી રહ્યાં છો તેવું માનીને આમ કરશો નહીં. વન વિભાગ વ્યાપારીક રીતે તેમાંથી કોઇપણ પ્રકારનો લાભ મેળવતું નથી કે તેનો લાભ મેળવવાનો હેતુ પણ નથી. હકીકતમાં તમે એક સામાન્ય માણસને આ યોજના તેની માટે જ છે તેની યોગ્ય સમજ આપીને વૃક્ષોના
ઉછેરમાં મદદ કરી રહ્યાં છો.
- અહીં એ પણ જરૂરી નથી કે તમે અમારી યોજનાઓ વિશે ચર્ચા કરો. તમે તેમને કોઇપણ સ્થળની કોઇપણ એજન્સીમાંથી રોપાઓ લેવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તે ખરેખર તો ગૌણ મુદ્દો છે. મુખ્ય મુદ્દો તો વૃક્ષારોપણની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. જો તમે માનો છો કે આ યોજનાથી
કોઇને લાભ થશે તો તેને જણાવો અથવા તો તેને વધુને વધુ વૃક્ષો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરો.
- આ પ્રવૃત્તિ માટે અમે કોઇપણ પ્રકારના નાણાકીય લાભ આપવાનું વિચારતા નથી. અમે એવા લોકો ઇચ્છીએ છીએ કે જેઓ ખરેખર પર્યાવરણની સુરક્ષામાં રસ ધરાવતા હોય. પરંતુ ભલે અમે નાણાકીય લાભ ન આપતા હોય, અમે એની બાંહેધરી આપીએ છીએ કે તમેને અમાપ સંતોષ અને ખુશી મળશે જે તમને કોઇને
પૈસાથી મળી શકે તેમ નથી. માટે થોભો અને વિચારો.
ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ (એફસીએ-વન સંરક્ષણ કાયદો) ૧૯૮૦ એ શું છે? આ કાયદો ક્યારથી લાગુ થયો છે?
વન સંરક્ષણ કાયદો,૧૯૮૦ ને જંગલોના સંરક્ષણ અને બિન વનીય હેતુઓ માટે જંગલોની જમીનનો ઉપયોગનિયંત્રિત કરવાના ભાગ મુજબ, ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૮૦માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો ૧૯૮૦ની ૨૫મી ઓક્ટોબરે અમલમાં આવ્યો હતો.
વન સંરક્ષણ કાયદા, ૧૯૮૦ હેઠળ કયા પ્રકારના જંગલો આવરી લેવામાં આવે છે?
ભારત વન કાયદો, ૧૯૨૭ની વિવિધ કલમો હેઠળ જંગલ જાહેર થયેલ જમીન કે વિસ્તાર તેમજ શબ્દકોષના અર્થ મુજબ જંગલ હોય તેવા કોઇપણ વિસ્તારોને વન સંરક્ષણ કાયદા, ૧૯૮૦ હેઠળ જંગલ તરીકે આવરી લેવા એવો આદેશ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નં. ૨૦૨-૧૯૯૫ સંબંધે અપાયો હતો.
બિન વનીય ઉપયોગ શું છે?
જંગલોમાં ખાણકામ, નદીઓ, કોતરો અને જંગલના કોઇપણ વિસ્તારમાંથી રેતી, પથ્થરો અને ખનીજો મેળવવાને, અને જંગલ વિસ્તારોમાં વીજલાઇનો, કેબલ, ઓપ્ટીકલ ફાઇબર, ટેલીફોન લાઇન, ગેસ પાઇપલાઇન નાંખવાના, કોઇપણ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિ, વાણિજ્યિક હેતુ માટે ચીજોના સંગ્રહ,
સિંચાઇ માટે બંધો બનાવવા, દરિયાના પાણીને પ્રવેશતું અટકાવવા દિવાલ બાંધવી, વગેરે પ્રવૃત્તિઓને બિન વનીય ઉપયોગ ગણાય છે.
એફસીએ હેઠળ જંગલના ફેરફારની માંગણી કોણ કરી શકે?
કોઇપણ ભારતીય નાગરીક, સ્વયંસેવી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો કે કંપની, કોઇપણ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા જેનીપાસે જંગલોના ઉપયોગ સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોય, તે જંગલોના અન્ય ઉપયોગ માટેની માંગણી કરી શકે છે.
જંગલોના અન્ય ઉપયોગ માટેની દરખાસ્તને મંજૂરી કયા સ્તરે આપવામાં આવે છે?
જંગલના અન્ય ઉપયોગ માટેની દરખાસ્તને મંજૂરી ભારત સરકારના પર્યાવરણ અને વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
- જો જંગલને અન્ય હેતુ માટે વાપરવા માટેની દરખાસ્ત ૫ હેક્ટર કરતાં ઓછી હોય તો ચોક્કસ શરતોને આધીન મંજૂરી આપવાની સત્તા ભારત સરકારના પર્યાવરણ અને વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય હેઠળ આવતા ક્ષેત્રીય કાર્યાલય, ભોપાલ ના અધિક મુખ્ય સીસીએફ પાસે રહે છે.
- ૫ હેક્ટર થી ૪૦ હેક્ટર સુધીની જંગલની જમીનના અન્ય ઉપયોગ માટેની દરખાસ્તને મંજૂરી આપવાની સત્તા ચોક્કસ શરતોને આધીન ભારત સરકારના પર્યાવરણ અને વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય હેઠળ આવતા ક્ષેત્રીય કાર્યાલય, ભોપાલ પાસે રહે છે. અધિક મુખ્ય સીસીએફ, ક્ષેત્રીય કાર્યાલય,
ભોપાલ, એમઓઇએફસીસી, ભારત સરકાર ક્ષેત્રીય સમિતિની ભલામણોને આધારે આદેશ જારી કરે છે.
- ૪૦ હેક્ટરથી વધુ જંગલની જમીનના ખાણ અને સિંચાઇ માટે ડેમ માટે ઉપયોગની તમામ દરખાસ્તો નવી દિલ્હી સ્થિત ભારત સરકારના પર્યાવરણ અને વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયસમક્ષ રજૂ કરવામાં આવે છે.
એફસીએ હેઠળ રાજ્ય સરકારને મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે?
હા, જુદા જુદા માપદંડો અને શરતોને આધિન જંગલની જમીનનો નીચેની પ્રજાકિય કામની યોજનાઓ હાથ ધરવા માટે સામાન્ય મંજૂરીની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે.
- ઓપ્ટિકલ ફાયબરને જમીન નીચેથી ખેંચવા માટે.
- વીજ કેબલોને જમીન નીચે નાંખવા માટે.
- ટેલીફોન લાઇનોને જમીન નીચે નાંખવા માટે.
- પીવાના પાણીની પાઇપલાઇનો નાંખવા માટે
- પીએનજી-સીએનજી પાઇપલાઇનોને જમીન નીચે નાંખવા માટે.
શરતોઃ
- કોઇપણ વૃક્ષ કપાવા જોઇએ નહીં.
- આવા વિસ્તારો રાષ્ટ્રિય ઉદ્યાનો કે વન્ય જીવન અભયારણ્યની બહાર હોવા જોઇએ.
- રસ્તા પહોળા કરવા માટે જંગલોની જમીનનો ઉપયોગ પસાર થવાના હકની અંદર જ હોવો જોઇએ.
- આવું કામ મહત્તમ બે મીટરની ઉંડાઇ અને એક મીટરની પહોળાઇમાં જ થવું જોઇએ.
માળખાકિય સુવિધાઓના વિકાસ માટે એફઆરએ હેઠળ ૧૩ મૂળભૂત સુવિધાઓ નિヘતિ કરવામાં આવી છે. ( જેમકે, આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, રસ્તા, ગટરો, પાણીની ટાંકી વગેરે સાથે સંબંધિત), જેને માટે ૧ હેક્ટર જેટલી જંગલની જમીન જરૂરી હોય તેને રાજ્ય સ્તરે ફાળવી શકાય છે.
જંગલની જમીનના અન્યઉપયોગના વનીકરણ માટે ક્યાં અને કયા પ્રકારની બિન વનીય જમીન પસંદ કરવામાં અને સૂચિત કરવામાં આવે છે?
ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ, જે જિલ્લામાં જંગલના અન્ય ઉપયોગની દરખાસ્ત કરવામાં આવી હોય તે જિલ્લાની બિનવનીય જમીનની પસંદગી કરવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા બિનવનીય વિસ્તારની પસંદગી માટેની અગ્રીમતા નીચે મુજબ છે
- જ્યારે પણ કચ્છ જિલ્લામાં જંગલની જમીનના અન્ય ઉપયોગ માટે દરખાસ્ત થાય ત્યારે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ)નાં સંરક્ષણ માટે ઉપયોગી જમીન તેમજ જંગલની નિકટ આવેલ બિન વનીય જમીનની વનીકરણ માટે પસંદગીમાં અગ્રીમતા આપવામાં આવે છે.
જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં સિંહના આવાસવાળા કોઇપણ જંગલ વિસ્તારને બિન વનીય હેતુ માટે ઉપયોગમાં લેવાની દરખાસ્ત હોય, ત્યારે ગીરના વ્યાપક વિસ્તારમાં સિંહોના નિવાસ અને હેરફેર માટે ઉપયોગી બિન વનીય જમીનને પસંદગીમાં અગ્રીમતા આપવામાં આવે છે. - જે જિલ્લામાં જંગલની જમીન અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી હોય તે જિલ્લામાં બિન વનીય જમીન ઉપલબ્ધ ન હોય, ત્યારે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલ બિન વનીય જમીન જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ર્ડ (ઘોરાડ)ના સંવર્ધન માટે ઉપયોગી છે, તેને પસંદગીમાંપ્રાથમિકતા
અપાય છે.
- ગીરના વિશાળ વિસ્તારમાં સિંહના કોરીડોર તરીકે ઉપયોગી જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓની બિન વનીય જમીનને પ્રાથમિકતા આપવામાં આવે છે.
- જે સર્કલમાં જંગલના અન્ય ઉપયોગની દરખાસ્ત હોય તે સર્કલના અન્ય જિલ્લાઓની બિન વનીય જમીનને પ્રાથમિકતા આપવી.
- રાજ્યના અન્ય જિલ્લાઓમાં જંગલની નજીક આવેલ બિન વનીય જમીનને પ્રાથમિકતા આપવી.
- રાષ્ટ્રિય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્યની નજીક આવેલ બિન વનીય જમીન કે વન્યજીવન અભયારણ્યો સાથે જોડાયેલ કોરીડોર તરીકે ઉપયોગી બિન વનીય જમીનને પ્રાથમિકતા આપવી.
- સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લાઓમાં સરકારની વિકાસ યોજનાઓ માટે વનીકરણ માટે જમીન પૂરી પાડવા માટે રાજ્ય સરકારે જમીન બેન્કની સ્થાપના કરી છે.
વનીકરણ માટે બિન વનીય જમીન આપવામાં કોઇ અપવાદ છે કે કેમ?
જંગલની જમીનના અન્ય ઉપયોગ સામે વનીકરણ માટે બિન વનીય જમીન આપવી નીચેના સંજોગોમાં જરૂરી નથી.
- એફઆરએ હેઠળ એક હેક્ટર કે તેથી ઓછી જંગલની જમીનનો અન્ય ઉપયોગ થાય.
- ૨૨૦ કેવી સુધીની વીજવહન લાઇન નાંખવા માટે.
- જાહેર રસ્તાઓ, રેલ્વે લાઇન, અને નહેરોની બાજુના વૃક્ષો જેને આરક્ષિત જંગલ જાહેર કરવામાં આવ્યા હોય તેને રસ્તા, રેલવે લાઇન,નહેરને પહોળા કરવા માટે કાપવામાં આવ્યા હોય.
- ટેલીફોન, ઓપ્ટિકલ ફાઇબર લાઇન નાંખવા માટે.
- ભારત સરકારના વિભાગો કે ભારત સરકાર હસ્તકના જાહેર સાહસો દ્વારા હાથ ધરાયેલ યોજના માટે જંગલની જમીનનો ઉપયોગ થયો હોય.
- ખાણોની લીઝ જેને માટે જંગલની કોઇ નવી જમીનનો ઉપયોગ ન કરવાનો હોય તેને રીન્યુ કરવા માટે.
ઉપરોક્ત સંજોગોમાં, વનીકરણ માટે બિન વનીય જમીન આપવી જરૂરી નથી. પરંતુ ઉપયોગકર્તા સંસ્થાએ જેટલા જંગલનો નાશ કરવામાં આવ્યો હોય કે જંગલની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેનાથી બેગણી જમીન પર વનીકરણ માટેની રકમ જમા કરાવવી પડે છે. જ્યારે ઉપરના સંજોગોમાં કોઇ વનીકરણ
કરવામાં આવતું નથી.
જંગલની જમીનના અન્ય ઉપયોગ માટે સામાન્ય શરતો મુજબ કેટલી રકમ જમા કરાવવી પડે છે?
વપરાશકર્તા સંસ્થાએ એનપીવી તરીકે જે જંગલને દૂર કરાયા હોય તેના પ્રકાર મુજબ અને બિન વનીય વિસ્તારમાં વનીકરણ અને તેના નિભાવ માટે જરૂરી રકમ જમા કરાવવી પડે છે. આ ઉપરાંત, વપરાશકર્તા સંસ્થાએ અન્ય વધારાના વનીકરણ કે ભારત સરકાર દ્વારા રખાયેલ શરતો મુજબની પ્રવૃત્તિ
માટે જરૂરી રકમ પણ જમા કરાવવી પડે છે.
એનપીવી શું છે?
એનપીવીનો અર્થ નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે. જે જંગલ વિસ્તારમાંથીમળતી ચીજોની વ્યવહારૂ કિંમત છે. જે જુદા જુદા પ્રકારના જંગલો મુજબ જુદી જુદી હોય છે.
એનપીવી કયા દરે વસૂલ કરવામાં આવે છે?
એનપીવી વિવિધ માપદંડોને આધારે વૈજ્ઞાનિક રીતે ગણવામાં આવે છે. હાલમાં જુદા જુદા પ્રકારના જંગલો માટેના દરો નિヘતિ છે. જે પ્રતિ હેક્ટર રૂ. ૪.૩૮ લાખથી રૂ. ૧૦.૪૩ લાખ છે. એનપીવીના નવા દરો ભારત સરકારના પર્યાવરણ અને વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયની વિચારણા હેઠળ
છે.
એનપીવીની વસુલાતમાં કોઇ પ્રકારની છૂટ અપાય છે?
એનપીવીની વસુલાતમાં છૂટ નીચેની શ્રેણીઓમાં થયેલ પ્રવૃત્તિ માટે આપવામાં આવે છે :
માનનીય સુપ્રીમ કોર્ટના તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૮ અને ૯મી મે, ૨૦૮ના આદેશો મુજબ, એનપીવીની ચૂકવણીમાંથી જે ચોક્કસ શ્રેણીની યોજનાઓને છૂટ આપવામાં આવી છે, તે નીચે મુજબ છે :
અનુક્રમનં. |
પ્રવૃત્તિ/પરિયોજનાઓની યાદી |
એનપીવી (NPV) માટે મુક્તિની મર્યાદા (કુલ લાગુ પડતા NPVના % ) |
૧. |
શાળાઓ, હોસ્પિટલો, બિન-વ્યાપારીક હેતુના બાળકોના રમતમેદાનો,ગ્રામ્ય વિસ્તારના સામુદાયીક કેન્દ્રો, ઓવરહેડ ટાંકીઓ, ગ્રામ્ય ટાંકીઓ, 4” સુધીની પીવાના પાણીની ભૂગર્ભીય નલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં 22kv સુધીની વીજ વિતરણ માટેની લાઇન બિછાવવી. |
અપાયેલી 1 હેક્ટર જંગલ જમીન સુધી પુરેપુરી મુક્તિ:
- વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામેલ નથી
- વૈકલ્પિક જંગલ જમીન ઉપલબ્ધ નથી
- પ્રોજેક્ટ બિન-વ્યાપારીક હેતુ છે અને તે સરકારની એક આયોજનાત્મક/બિન-આયોજનાત્મક યોજનાનો ભાગ છે, અને
- NP/WLSથી બહારનો વિસ્તાર છે.
|
૨ |
NPs/WLSsમાંથી વૈકલ્પિક જંગલ જમીનમાં ગામડાઓનું પુનઃવસન |
પુરેપુરી મુક્તિ |
૩ |
જંગલ વિસ્તારની નદીઓના પટમાંથી ખડકો-પથ્થરો/કાંપનું એકત્રિકરણ |
પુરેપુરી મુક્તિ અપાશે:
- NP/WLSથી બહારનો વિસ્તાર છે.
- આ વિસ્તારને અનુલક્ષીને કોઇપણ માઇનીંગ લીસને મંજૂર/સાઇન કરાશે નહીં.
- EDC અથવા JEMC અથવા સરકાર હસ્તક અથવા વિભાગીય કાર્ય સહિત પથ્થરો/કાંપ-કચરોના વેચાણની કામગીરી
- વન સંરક્ષણ અને રક્ષણ અર્થે જરૂરી પ્રવૃત્તિ, અને
- વેચાણમાંથી મળેલી નાણારાશીનો ઉપયોગ રક્ષણ/સંરક્ષણ માટે કરવો.
|
૪ |
જમીનની નીચે ઓપ્ટિકલ ફાઇબર કેબલ બિછાવવો |
પુરીપુરી મુક્તિ અપાશે :
- વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામેલ નથી અને
- NP/WLSથી બહારનો વિસ્તાર છે.
|
૫ |
૧૯૮૦ અગાઉના કાયદેસર કરાયેલા દબાણો અને જંગલના ગામડાઓનું મહેસૂલી ગામોમાં રૂપાંતરણ |
પુરીપુરી મુક્તિ અપાશે : આ વિસ્તાર ૧૯૯૦ ની ૧૮મી સપ્ટેમ્બરની MoEFની માર્ગદર્શિકાને સુસંગત હોવો જોઇએ. |
૬ |
ભૂગર્ભીય ખાણકામ |
આખા વિસ્તારના NPVના ૫૦% |
૭ |
ફાયરિંગ રેંજનું ક્ષેત્ર |
સંપૂર્ણ મુક્તિ અપાશે :
- વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામેલ નથી અને
- જંગલના વિનાશની શક્યતા નથી.
|
૮ |
પવન ઉર્જા પ્રોજેક્ટસ |
ઇકો ક્લાસને ધ્યાનમાં ન લેતાં, ઓછામાંઓછી વૃક્ષછેદન પ્રવૃત્તિ સામેલ હોય તેવા પ્રોજેક્ટના NPVના ઓછામાં ઓછા દરના ૫૦%. |
લાકડા આધારીત ઉદ્યોગો માટે કયા પ્રકારના એકમોને લાયસન્સની જરૂર છે?
નીચે જણાવ્યા પ્રકારના એકમો માટે લાયસન્સ જરૂરી છે. સોમીલ (આડી અને ઉભી બંને પ્રકારની), વીનીયર એકમ, પાર્ટીકલ બોર્ડ, બ્લોક બોર્ડ એકમ, એમડીએફ એકમ, સ્લાયસર સાથે કે વિનાનું પ્લાયવુડ (હોટપ્રેસ) એકમ, કાથા ફેક્ટરી, ખેર ગઢતારી એકમ, કે આવા એકથી વધુ એકમોના સંયોજનનો
ઉપયોગ કરનાર કોઇપણ એકમ. આ માટેની વધુ માહિતી ૮-૮૨૦૧૧ના પરિપત્રમાં ઉપલબ્ધ છે.
લાકડા આધારીત ઉદ્યોગો માટે લાયસન્સ મેળવવા અરજી ક્યાં કરવી?
સંબંધિત જિલ્લાના ડીસીએફની કચેરીમાં લાયસન્સ માટે અરજી કરી શકાય છે. કચેરીઓના સંપર્ક સરનામા વિભાગની સાઇટ પર ઉપલબ્ધ છે.
લાયસન્સ મેળવતા અંદાજે કેટલો સમય લાગે છે?
નવા લાયસન્સ માત્ર કેન્દ્રીય સત્તાધારી સમિતિની ઉંડી તપાસ બાદ જ અપાય છે. કાચા માલની ઉપલબ્ધતાને આધારે રાજ્યની પ્રચલિત નીતિને આધારે સીઇસી લાયસન્સ આપે છે. હાલમાં લાયસન્સ માટેની ૨૦૦૨ પહેલાંની તારીખોની અતિ જૂની અરજીઓ પણ પડતર પડી છે, ત્યારે નવા લાયસન્સ માટે
કોઇપણ સમયમર્યાદા આપવી મુશ્કેલ છે. પરંતુ જ્યારે પણ તે અપાશે ત્યારે તે સૌથી પહેલી અરજીની તારીખને આધારે અપાશે.
શું હું કોઇ અન્ય વ્યકિતપાસેથી લાયસન્સ ખરીદી શકું? જો હા, તો તે માટેના નિયંત્રણો શું છે?
તા.૩૦-૧૦-૨૦૦૨ પહેલા અસ્તિત્ત્વ ધરાવતા હોય તેવા એકમોને સીઇસી દ્વારા અપાયેલ લાયસન્સને લાયસન્સ અપાયાની મૂળ તારીખના પાંચ વર્ષ બાદ વેચી કે ખરીદી શકાય છે. લાયસન્સ તબદીલ કરવાની સત્તા ધરાવતા અધિકારીઓની માહિતી તા.૯-૬-૨૦૦૮ના પરિપત્રમાં અપાયેલ છે. આ પ્રકારના કેસો
સિવાય નવા લાયસન્સો તા.૧-૧૦-૨૦૧૨ના પરિપત્ર પ્રમાણે અપાયા છે કે અપાય છે. આવા લાયસન્સને વેચી કે ખરીદી શકાતા નથી.
લાયસન્સની શરતો શું છે?
લાયસન્સની શરતોને તા. ૨૩-૧૧-૨૦૦૬ના પરિપત્રમાં સવિસ્તર જણાવવામાં આવી છે.
લાયસન્સ રીન્યુઅલ માટે ક્યારે અરજી કરી શકાય? રીન્યુઅલ માટે અરજી કરવામાં મોડું થાય તો શું થઇ શકે?
આ મુદ્દાને તા. ૧૮-૪-૨૦૧૨ના પરિપત્રમાં વ્યાપક રીતે ચર્ચવામાં આવ્યો છે.
એસઆઇટીસીઝેડ (SITCZ) શું છે?
એસઆઇટીસીઝેડ (SITCZ)નો અર્થ સ્પેશ્યલ ઇમ્પોર્ટેડ ટીમ્બર કન્વર્ઝન ઝોન થાય છે. તેમાં મૂળતઃ કચ્છના ચાર તાલુકાઓ ગાંધીધામ, ભચાઉ, અંજાર અને મુંદ્રાનો સમાવેશ થાય છે. આ એકમો આયાતી લાકડા પર જ કામ કરતા હોવાથી નવા લાયસન્સો આપવામાં ઉગતા કાચા માલની ઉપલબ્ધતાનું
નિયંત્રણ રહેતું નથી. આ તાલુકાઓમાં વધુ વિલંબ વિના લાયસન્સ મેળવી શકાય છે. આ ઝોન માટે લાયસન્સ ફીવગેરે અલગ છે. એસઆઇટીસીઝેડ (SITCZ) માટેના તા. ૯-૬-૨૦૦૮, તા. ૧-૧૨-૨૦૧૧ અને તા. ૧-૧૦-૨૦૧૨ના પરિપત્રોમાં આ અંગેની માહિતીને આવરી લેવામાં આવી છે.