ખાતાના વડા, બોર્ડ તથા નિગમો સોસાયટી

ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી (GSLCS)

ગીર વન રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભ્યારણ્ય ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું વન અને વન્યજીવન અભ્યારણ્ય છે. જેની સ્થાપના વર્ષ 1965માં કરાઇ હતી. આ અભ્યારણ્ય 1412 કિમી (અંદાજે 258 કિમી સંપૂર્ણ સંરક્ષીત રાષ્ટ્રીય ઉદ્યાન અને 1153 કિમી અભ્યારણ્ય વિસ્તાર)માં ફેલાયેલું છે અને તે જુનાગઢના દક્ષીણ-પૂર્વે 65 કિમી તથા અમરેલીથી દક્ષીણ-પશ્ચિમે 60 કિમીના અંતરે આવેલું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભ્યારણ્યમાં પાનખર જંગલોની સાથે અંશતઃ હરિયાળા અને બારમાસી જંગલો, બાવળ, ગીચ જંગલ, ઘાસના જંગલો અને પર્વતમાળાઓ આવેલી છે. અહીં બારમાસી અને મોસમી નદીઓ તેમજ પાણીના સ્ત્રોતો આવેલાં છે. અભ્યારણ્યમાં પાણીના સ્ત્રોતો જેવા કે કામેશ્વર ડેમ, શીંગોડા ડેમ, મછુન્દ્રી ડેમ તેમજ રાવલ ડેમ આવેલાં છે, જે મગરો, પક્ષીઓ તેમજ અન્ય વનજીવન માટે એક સારાં આશ્રય સ્થાનો છે.

વધુ જાણોExternal website that opens in a new window

ડૉ. જયપાલ સિંહ, આઈ. એફ. એસ.

શ્રી અક્ષય સક્ષેના, આઇ.એફ​.એસ​.

ચેરમેન, ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી
પીસીસીએફ, વન્યજીવ અને મુખ્ય વન્યજીવ વોર્ડન,
બી વિંગ, પહેલો માળ, અરણ્ય ભવન,
સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦.

+૯૧-૦૨૮૫-૨૩૨૫૪૧૩૨

cwlwguj@gmail.com

Head of the Department
21.124305
70.824151
21.127305
70.824151
Gujarat Lion Conservator Society
Assistant Conservator of Forests,
Wildlife Circle, Sardar Baug, Junagadh
Gujarat, India

ઉદ્દેશો

  • એશિયાઈ સિંહોની વસાહતો માટે સ્થળો નક્કી કરવા જેથી સિંહોની વસતી યોગ્ય સમયમાં 500થી વધે તે સુનિશ્ચિત કરવું.
  • સિંહો અને તેના આશ્રીતો, અન્ય સહયોગી પ્રાણીઓના વિચરણ સ્થાનોને ઓળખવા તેમજ તેનું સંરક્ષણ કરવું તથા તેની આડે આવતા અંતરાયો તેમજ સમસ્યાઓ શોધવી.
  • સૌરાષ્ટ્રનાં ભૌગોલિક વિસ્તારોમાં અનેકવિધ જનીન વંશવારસાની બહોળી જૈવવૈવિધ્યતા ધરાવતી જીવસૃષ્ટિઓનું સંવર્ધન-પોષણ કરવું.

સંચાલન અને વ્યવસ્થાન માટે સંસાધનો પુરાં પાડવાં

  • ગીરનો સંરક્ષિત વિસ્તાર નેટવર્ક અને વિસ્તારમાં આવેલી એશિયાઇ સિંહોની અન્ય વસાહતોના વ્યવસ્થાપન-સંચાલન અર્થે વ્યવસ્થાપન આયોજન કરવુ.
  • મેટા (meta) પોપ્યુલેશન અને જનીન વંશાવલી સહિત એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે લાંબા સમયગાળાની યોજના-આયોજન
  • એશિયાઇ સિંહો મુક્તપણે કોઇપણ જાતની ખલેલ ન પડે અને તેમને કોઇ સમસ્યા ન નડે તે માટે તેમના વિચરણ માર્ગોનું સંરક્ષણ કરવું કે નવા બનાવવાની સુવિધા કરી આપવી.

જીવસૃષ્ટિના અસરકારક અને કાર્યક્ષમ વિકાસ માટે સૂક્ષ્મ આયોજન કરવું. સૂક્ષ્મ આયોજનને પાર પાડવા જરૂરી સ્ત્રોતો વધારવા તેમજ તેને પુરાં પાડવા.

ઇકો-ટુરિઝમ અને ઇકો-ડેવલપમેન્ટ સમિતિઓ દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન મળે તે આશયથી સ્થાનિક સમાજોના લાભાર્થે તેમનો સહકાર મેળવવો.

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

Go to Navigation